/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ખેત પેદાશને સ્વામીનાથન આયોગ મુજબ એમએસપી નક્કી કરવા માંગ

અરવલ્લી : કેન્દ્ર સરકારે ખેડૂતો પર રહેલા દેવા નાબૂદ કરવાના બદલે એસેંસિયલ કોમોડીટી એમેન્ડમેન્ટ બીલ- ૨૦૨૦ થી કાયદો બનાવી ૨૨ જેટલી ખેત પેદાશોને આવશ્યક ચીજમાંથી હટાવી લઈ મુક્ત બજારને હવાલે કરી દેશી-વિદેશી કંપનીઓને ખરીદવા- વેચવા,આયાત-નિકાસ અને અમર્યાદિત સંગ્રહ કરવાની છૂટ આપતા આગામી સમયમાં ખેડૂતોને નુકશાન થતા વધુ હાલત કફોડી બનશે તેમ જણાવી વડાપ્રધાન મોદીને સંબોધી આવેદનપત્ર અરવલ્લી જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. ગુજરાત કિસાન સભા અરવલ્લીના સદસ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે એસેન્સીયલ કોમોડીટી એમેન્ડમેન્ટ બીલ -૨૦૨૦ થી કાયદો બનાવી રર જણસીઓ આવશ્યક ચીજોમાંથી મુક્ત થતાં આ ખેત જણસીઓને કેન્દ્ર સરકારની એમ.એસ.પી. યોજનાની છત્રછાયા ઝુંટવાઈ જશે એવું ખેડૂતો માની રહ્યાં છે.આવશ્યક ચીજો દેશની જનતાની જરૂરિયાત માટે હોય સરકાર ખાતર - બિયારણ અને અન્ય સહાયોની સબસીડી સરકાર ધીમે ધીમે બંધ કરી દેશે જેનાથી ખેડૂતોની ખેતી વધુ સંકટગ્રસ્ત બનશે.આવશ્યક ચીજોના ભાવ પોષણક્ષમ બને તે અંગે એમ.એસ.પી. લઘુત્તમ ટેકાના ભાવ સ્વામિનાથન આયોગની ભલામણ મુજબ આપવાને બદલે સરકારે બનાવેલ કાયદાથી સરકાર લઘુત્તમ ટેકાના ભાવની ખરીદી બંધ થશે તો ખેડૂતો કંપનીઓના વેપારથી શોષણનો ભોગ બનશે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ આપવા એમ.એસ.પી. સ્વામિનાથન આયોગની ભલામણ મુજબ આપવા કાયદાકીય રક્ષણ મળવું જોઈએ. એવી માંગ સાથે ગુજરાત કિસાન સભા સમિતિમાં જોડાયેલ તમામ ખેડૂતો સંગઠનો દ્વારા મંગળવારના રોજ એમ.એસ.પી. અધિકાર દિવસની માંગ કરી રહ્યાં છે. કેન્દ્ર સરકાર ખેડૂત વિરોધી ત્રણ કાયદાની અમલવારી અટકાવે તે ખેડૂતોના હિતમાં જરૂરી હોવાનું જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution