આધુનિક અંગ્રેજાેથી ગુજરાતને મુક્ત કરવા નરેશ પટેલને આમંત્રણ છે ધાનાણી
12, માર્ચ 2022

રાજકોટ, રાજકોટમાં આજે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં જાેડાવવા માટે ખુલ્લુ આમંત્રણ આપતા કહ્યું હતું કે,આધુનિક અંગ્રેજાેથી ગુજરાતને મુક્ત કરવા નરેશ પટેલને કોંગ્રેસમાં આવકારીએ છીએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક ત્યારે રાજકોટ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરાયું છે. જેમાં અભિયાનને પુરજાેશથી આગળ ધપાવવા કોંગ્રેસના વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાતમાં અસુરોનું શાસનછે. શાસક પક્ષની તાનાશાહીથી ગુજરાતીઓને અન્યાય થાય છે. ત્યારે નરેશ પટેલ જેવા આગેવાનોથી ગુજરાતને અસુરી શક્તિઓથી દૂર કરી શકીશું. ઉલ્લેખનીય છે કે આજથી ૪ દિવસ પહેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં જાેડાવવા માટે ખુલ્લો પત્ર લખી આમંત્રણ પાઠવ્યું હતું. જેના પ્રત્યુત્તર સ્વરૂપે નરેશ પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, ખોડલધામ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહી બને.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution