અમદાવાદ-

ધંધુકાના ખડોળ પાટિયા પાસે એક દૂર્ઘટના સર્જાઇ હતી. બગોદરા રોડ પર ટ્રાવેલ્સ જઇ રહી હતી તે સમયે પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 35 થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. જ્યારે 3 બાળકો સહિત 11 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ટ્રાવેલ્સ બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ ટુર જઇ રહી હતી. તે દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા ધંધુકા, ફેદરા, બગોદરા, ધોલેરા, બરવાળા,અને રાણપુર 6 સ્થળેથી 108 ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોનો હાલ ધંધુકા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડયામાં આવ્યા છે. ત્યાર બાદ 4 108 મારફતે વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.વહેલી સવારે આ ઘટના બની હતી.