દિલ્હી-

સઉદી અરબે કારીગરોના હિતમાં મોટો ર્નિણય લીધો છે. વિવાદાસ્પદ કફાલા પ્રણાલીને પૂર્ણ કરી દીધી છે. માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે બુધવારે તેની જાહેરાત કરી છે. નવી વ્યવસ્થા માર્ચ ૨૦૨૧થી અમલમાં આવશે. હવે સઉદી અરબમાં કામ કરનારા મજૂરોને અનુબંધ પૂર્ણ કરી નોકરી બદલવાની મંજૂરી મળશે. તેને મજબુરીમાં ઓછા પગાર પર કામ નહીં કરવું પડે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, સરકાર આ તમામ પ્રતિબંધોને હટાવવા માટે જઈ રહી છે. જેના કારણે પ્રવાસી શ્રમિકોને ઓછા વેતન પર પોતાના નિયોક્તાની સાથે અનુબંધોમાં રહેવું પડતું હતું. નવા શ્રમ સુધાર સુધાર માર્ચ 2021થી લાગુ થશે.

જણાવી દઈએ કે, સઉદી અરબમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે તેવામાં આ સમાચાર તેના માટે દિવાળી ભેટથી ઓછા નથી. ઉપમંત્રી અબ્દુલ્લા બિન નાસિલ અબુથનૈને કહ્યું છે કે, અમે આકર્ષક શ્રમ બજાર બનાવવા માટે સારૂ કામકાજનું માહોલ નિર્માણ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલુ ઉઠાવ્યું છે. નવા શ્રણ સુધાર લાગુ થયા બાદ વિદેશી શ્રમિકોને નોકરી બદલાવવા અને નિયોક્તાની મંજૂરી વિના દેશ છોડવાનો અધિકાર હશે. જણાવી દઈએ કે આ વર્ષે જી-20 સમૂહની અધ્યક્ષતા કરનારા સઉદી અરબ તેલ પર ર્નિભર અર્થવ્યવસ્થામાં વિવિધતા લાવવા માટેની મહત્વાકાંક્ષી યોજનાઓ પર કામ કરી રહી છે અને સરકારનો આ ર્નિણય તેના માટે લાભકારી સાબિત થશે. કારણ કે, ઉચ્ચ કુશળ શ્રમિકોને આકર્ષિત કરવામાં મદદ મળશે અને દેશમાં નવા રોજગાર પેદા થશે.

સઉદી અરબની કફાલા પ્રણાલી શ્રમિકો પર ઘણી પ્રકારના પ્રતિબંધો લગાવે છે. સીધા શબ્દોમાં કહીએ તો બીજા દેશોમાંથી આવીને અહીંયા નોકરી કરનારા મજૂરોની પાસે ઉત્પીડનથી બચવાનો કોઈ અવસર નથી હોતો. તે પોતાની ઈચ્છાથી નોકરી નથી મુકી શકતો અને દેશની બહાર જવા માટે પણ તેને પોતાના નિયોક્તાની મંજૂરી મેળવવી પડે છે. નિયોક્તાની મંજૂરી વિના તે નોકરી નથી બદલી શકતો અને નથી પરત જઈ શકતો. તો નિયોક્તા પોતાના મજૂરોના પાસપોર્ટ કબ્જે કરી લેતા હોવાનું પણ સામે આવ્યું છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલ સહિત માનવાધિકારીઓ માટે કામ કરનારા સંગઠન સઉદી અરબની કફાલા પ્રણાલી પૂર્ણ કરવાની માગ કરતા આવ્યાં છે. આ સંગઠનોનું કહેવું છે કે, આ પ્રકારની પ્રણાલી શ્રમિકોને માનવાધિકારોનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે.