દિલ્હીમાં પ્રદૂષણ વધતા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને રાજધાની બહાર જવા ડોક્ટરોની સલાહ
20, નવેમ્બર 2020

દિલ્હી-

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના ડૉક્ટરોએ એવી સલાહ આપી હતી કે દિલ્હીમાં હવા વધુ પડતી પ્રદૂષિત અને ઝેરી થઇ ચૂકી છે, બહેતર છે કે તમે દિલ્હીની બહાર ચાલ્યા જાઓ. છેલ્લા થોડા સમયથી સોનિયા ગાંધી ગંભીર રીતે બીમાર હોવાના સમાચાર પ્રગટ થતા રહ્યા હતા.

અહેવાલ મુજબ સોનિયા ગાંધીને કોઇ પ્રકારનું કેન્સર થયું હતું. અગાઉ એ પોતાની બીમારીના ચોક્સ નિદાન અને સારવારની વિગતો નક્કી કરવા અમેરિકા ગયાં હતાં. જાે કે તેમને કઇ બીમારી છે એની વિગતો ગુપ્ત રાખવામાં આવી હતી. એક વાત નક્કી હતી કે સોનિયા ગાંધીના શરીરમાં કોઇ પ્રકારના ચેપી વિષાણુ ઘર કરી ગયા હતા.

એ હકીકત ધ્યાનમાં રાખીને હવે તેમના ડૉક્ટરોએ એવી સલાહ આપી હતી કે મેડમ તમે દિલ્હીની બહાર ચાલ્યા જાઓ. દિલ્હીની પ્રદૂષિત હવા તમારા આરોગ્ય માટે જાેખમી છે. કોંગ્રેસના સૂત્રે કહ્યું કે સોનિયાજી ગોવા કે ચેન્નાઇ ચાલ્યાં જાય એવી શક્યતા છે. હજુ કોઇ આખરી ર્નિણય કરાયો નથી. કોંગ્રેસમાં અત્યારે પક્ષના નવા અધ્યક્ષની ચૂંટણીની તૈયારી ચાલી રહી હતી. એ સંજાેગોમાં સોનિયાજીની ઇચ્છા દિલ્હી છોડીને કશે જવાની નહોતી પરંતુ તબીબી સલાહના પગલે તેઓ ગોવા અથવા ચેન્નાઇ જાય એવી શક્યતા વિચારાતી હતી. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution