લુણાવાડા, કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં તબીબો સહિત નર્સિંગ અને પેરા-નોન પેરામેડીકલ સ્‍ટાફ તેમની ફરજાે અદા કરી રાત-દિવસ જાેયા વગર તેમની સેવાઓ અવિરત આપી રહ્યા છે. આ તબીબો કોરોનાની સારવારની સાથોસાથ અન્‍ય રોગોની પણ સારવાર કરી રહ્યા છે. કોરોનાના આ કપરા કાળમાં તથા તબીબો અને આરોગય કર્મીઓ સેવા પરમો ધર્મ ના મંત્રને સાર્થક કરીને અનેક દર્દીઓને નવજીવન બક્ષીને તેમના જીવનમાં આશાનો દીપ પ્રગટાવી રહ્યા છે. તેમાંય ખાસ કરીને સરકારી હોસ્પિટલના તબીબો અને આરોગ્યકર્મીઓ પોતાની સંનિષ્ઠ કામગીરી બજાવીને રહ્યા હોવાનો કિસ્સો મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી લુણાવાડાની જનરલ હોસ્‍પિટલના તબીબો નર્સિંગ સ્ટાફની આરોગ્ય ટીમે કોરોના મહામારી વચ્ચે પડકારજનક સર્જરી કરવામાં સફળતા પ્રાપ્‍ત કરી હોવાનો પ્રકાશમાં આવ્‍યો છે. અહીં કંઇક વાત એવી છે કે, ફતેપુરા તાલુકાની એક ૩૫ વર્ષીય ગરીબ પરિવારની મહિલાની.

 દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વડવાસ ગામના મહિલા દર્દી સુમિત્રાબેન પારસિંગભાઈ ચરપોટ કે તેણીને તા. ર૭મીના રોજ લુણાવાડા ખાતેની જનરલ હોસ્‍પિટલ ખાતે દાખલ કરવામાં આવ્‍યા હતા. આ મહિલાને દાખલ કરવામાં આવ્‍યા બાદ તેણીની પ્રાથમિક તપાસ કરવામાં આવતાં મહિલાના પેટમાં મ્‍યુસેનીસ સિસ્‍ટેડીનોમા પ્રકારની ગાંઠ હોવાનું જણાઇ આવતાં તેમની સારવાર સર્જરી વગર થઇ શકે તેમ નહોતી. તેમાંય કોરોનાની મહામારીના આ કપરાં સમયમાં ગાંઠનું પડકારજનક ઓપરેશન કરવાનો પડકાર તબીબો માટે હતો. પરંતુ જનરલ હોસ્‍પિટલના તબીબોએ હાર ન માનતાં કોઇપણ ભોગે આ મહિલાનું ઓપરેશન કરીને તેને નવજીવન બક્ષવાનો સંકલ્‍પ કરી લીધો. આ સંકલ્‍પને સાકાર કરવા લુણાવાડા જનરલ હોસ્‍પિટલના તબીબો ડૉ. પાર્થ પટેલ, ડૉ. કિંજલ પટેલ, ડૉ. શ્વેતા પટેલ, ડૉ. અમિત ટેઇલર, સ્‍ટાફ નર્સ કલ્‍પનાબેન પ્રણામી સહિતની આરોગ્‍ય ટીમે આ પડકારજનક ઓપરેશન કરવાનો ર્નિણય લઇ લીધો. ઓપરેશન કરવાનો ર્નિણય લીધા બાદ સૌ પ્રથમ મહિલાનું ઓપરેશન કરતાં પહેલાં તેણીના લોહીની જરૂરિયાત પૂર્ણ કરી તા. ર૯મી મે ના રોજ આ પડકારજનર ઓપરેશન હાથ ધરીને સફળતાપૂર્વક સર્જરી પુર્ણ કરીને મહિલાને નવજીવન બક્ષ્‍યું હતું. આ મહિલાના ઓપરેશન દરમિયાન મહિલાના પેટમાંથી ૪૧ ટ ૨૬ ટ ૬ સે.મી. સાઇઝની ૯ (નવ) કીલો વજનની ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. મહિલાના પેટમાંથી આ બહાર કાઢવામાં આવેલ ગાંઠને વધુ તપાસ અર્થે હિસ્‍ટોપેથોલોજી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવી છે.