/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ડોમિનિકા મેહુલ ચોક્સીને ભારતને નહિ એન્ટીગુઆને સોંપશે!

ન્યૂ દિલ્હી

પંજાબ નેશનલ બેંક (પીએનબી) ના કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીને ભારત હવાલે કરવાની આશાને ઝટકો આપતા ડોમિનિકાએ કહ્યું છે કે તે ઝડપાયેલા ઉદ્યોગપતિને એન્ટિગુઆને સોંપશે, જ્યાં તે નાગરિક છે. ડોમિનીકાના રાષ્ટ્રીય સુરક્ષા અને ગૃહ મંત્રાલયે ગુરુવારે તેની પુષ્ટિ કરી છે. આ પહેલા એન્ટિગુઆના વડા પ્રધાને કહ્યું હતું કે ચોક્સીને તેમના દેશમાં પાછા લેવામાં નહીં આવે અને તેમને સીધા ભારત મોકલી આપશે.

એન્ટિગુઆની નાગરિકતા લઈ ચૂકેલા મેહુલ ચોક્સી ગતરોજ એન્ટિગુઆથી ગુમ થઈ ગયો હતો અને ક્યુબા જતા પહેલા ડોમિનિકામાં પકડાયો હતો. ડોમિનિકા વતી એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની સરકાર એન્ટીગુઆ વહીવટ સાથે સંપર્કમાં છે અને તેમને પ્રત્યાર્પણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અગાઉ એવા અહેવાલ મળ્યા હતા કે એન્ટિગુઆ અને બર્મુડાના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને ડોમિનીકાના વડા પ્રધાનને પીએનબી કૌભાંડના આરોપીને સીધા ભારત મોકલવાની અપીલ કરી છે.

અધિકારીઓએ ડબ્લ્યુઆઇસી ન્યૂઝને જણાવ્યું હતું કે એવી અટકળો ચાલી રહી છે કે ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે, પરંતુ એન્ટિગુઆ મોકલવામાં આવશે. "ચોક્સી પર ડોમિનીકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો આરોપ છે, તેને એન્ટિગુઆ અને બર્મુડાને સોંપવામાં આવશે, જ્યાં તે ચાર વર્ષથી નાગરિક છે."

અધિકારીઓએ પણ પુષ્ટિ આપી કે ચોક્સી સમુદ્ર માર્ગ દ્વારા તેમના દેશમાં પ્રવેશ્યો હતો. કેરેબિયન ટાપુ ડોમિનિકા ક્યુબા અને અમેરિકા જેવા દેશોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા માટે વપરાય છે. મેહુલ ચોક્સી પીએનબી કૌભાંડનો આરોપી છે. આરોપ છે કે તેણે તેમના ભત્રીજા નીરવ મોદી સાથે મળીને પીએનબીમાં ૧૪ હજાર કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ કર્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution