અમદાવાદ-

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની માતાનું અવસાન થયું છે. 94 વર્ષની વયે તેમની માતા કમળા બા અવસાન થયું છે. છેલ્લા કેટલાક સમયથી યુ એન મહેતા હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સમાચાર મળ્યા ત્યારે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ વિધાનસભા ગૃહમાં હાજર હતા. અને આ સમાચાર મ્લ્તાનીસાથે જ વિધાનસભા ગૃહ છોડી રવાના થયા હતા. સાથી મંત્રીઓ પણ ભૂપેન્દ્રસિંહ સાથે રવાના થયા હતા. તેમના મૃતદેહને ગાંધીનગર લાવવામાં આવશે. મળતી માહિતી અનુસાર 94 વર્ષીય કમળાબાના ગાંધીનગર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કમળાબા ના અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.