ELECTION 2021: ગુજરાતમાં ભગવો લહેરાય તેવો માહોલ, ભાજપે તો વિજય મનાવવા ઢોલ નગારા તૈયાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ફેબ્રુઆરી 2021  |   1386

અમદાવાદ-

આજે મતગણના દીને રાજ્યભરમાં એક જાણે ઉત્સવ નો માહોલ છે, ભાજપે તો વિજય મનાવવા ઢોલ નગારા તૈયાર રાખ્યા છે. જોકે,કેટલીક જગ્યા એ નારાજગી જરૂર જોવા મળી છે.પણ ભાજપ ને વધુ બેઠકો મળી શકે છે. રાજ્યની તમામ 6 મહાનગર પાલિકામાં ભાજપની જીત થશે તેવો માહોલ જણાઈ લાગી રહયો છે. રાજકોટ માં તો 48એ 48 બેઠકો પર ભાજપ આગળ જઇ રહ્યું છે અને સુરતમાં આપ ના 18 બેઠક પર ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જામનગરમાં પાંચ બેઠક પર માયાવતી વતીની પાર્ટી BSP આગળ ચાલી રહી છે. અમદાવાદમાં ઓવૈસીની AIMIM 3 બેઠક પર આગળ છે.

છતાં પણ ભાજપ બહુમતી સાથે આગળ જાય તેવા રિજલ્ટ જોવા મળી રહ્યા છે, બાકીની બેઠકો અન્ય પાર્ટીઓ વચ્ચે વહેંચાઈ જાય તેવું જણાઈ રહ્યું છે. અમદાવાદમાં ઓવૈસીની AIMIM 3 બેઠક પર આગળ છે. છતાં પણ ભાજપ બહુમતી સાથે આગળ જાય તેવા રિજલ્ટ જોવા મળી રહ્યા છે, બાકીની બેઠકો અન્ય પાર્ટીઓ વચ્ચે વહેંચાઈ જાય તેવું જણાઈ રહ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution