આણંદ : ચરોતરના મુખ્ય મથક આણંદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર.જી. ગોહિલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર આર.જી. ગોહિલે જણાવ્યું હતું કે, દુનિયાના સૌથી મોટી લોકશાહી ધરાવતાં આપણાં દેશમાં લોકતંત્રની જીત ત્યારે જ થાય છે, જ્યારે મતદારો તેમની પવિત્ર ફરજ નિભાવે.  

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લોકશાહીના મજબૂત પાયા સમાન ચૂંટણીના સમયે યુવા મતદારોને મતદાન કરી અન્યોને મતદાન કરવા માટે પ્રેરણાં પૂરી પાડવી જાેઈએ. લોકશાહીનો પાયો એટલે ચૂંટણી. લોકશાહી સર્વશ્રેષ્ઠ શાસન પદ્ધતિ છે. આપણી સાથે આઝાદ થયેલા દેશોમાં મજબૂત લોકશાહી ન હોવાને કારણે સમયાંતરે ત્યાં બળવા થતાં રહે છે. ભારત મજબૂત લોકશાહી અને વિશ્વની બીજા નંબરની જનસંખ્યા ધરાવતો દેશ હોવા છતાં જાગૃત મતદારોને કારણે દેશ આઝાદ થયાંના ૭૩મા વર્ષે પણ એકતા અને અખંડિતા છે, જેમાં પાયાનો પથ્થર મતદાર છે. મતદારોને મતદાન કરવાનો સમાન અધિકાર આપ્યો છે. એમાં કોઇ ભેદભાવ ન હોવાનું જણાવી મતદાન કરનાર મતદાતાના મતનું મૂલ્ય એકસરખું હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. તેઓએ વધુમાં લોકશાહીની વ્યાખ્યાની સમજ આપી કહ્યું હતું કે, ભારતીય લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણી પ્રક્રિયામાં મતદાતાઓએ પોતાના મતાધિકારનો સો ટકા ઉપયોગ કરી પવિત્ર લોકશાહીને જીવંત રાખવી જાેઈએ. કલેક્ટરે યુવા મતદાતાઓને મતદાનની કિંમત સમજાવતાં કહ્યું હતું કે, ભારતમાં એક એવી લોકશાહી પ્રણાલી છે, જેનો દીપક આજે પણ પ્રજ્વલિત છે. લોકશાહી એક એવી શાસન પદ્ધતિ છે, જે દુનિયાની શ્રેષ્ઠ પદ્ધતિ છે, જેમાં સત્તાનો મુખ્ય આધારસ્થંભ પ્રજા છે. દરેકને અભિવ્યક્તિ સ્વતંત્રતા, વ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર આપવામાં

આવ્યો છે.

ક્યાંથી ડાઉનલોડ કરશો તમારું ચૂંટણી કાર્ડ?

૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી અંતર્ગત આજે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઇન ચૂંટણી કાર્ડ જનરેટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં હદૃજॅ.ૈહ , ર્દૃંીિॅર્િંટ્ઠઙ્મ. ીષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ તથા ર્ફં્‌ઈઇ ૐઈન્ઁન્ૈંદ્ગઈ એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લિકેશન મારફત ડાઉનલોડ કરી શકાશે. ઉપરાંત પ્રથમ તબક્કામાં છેલ્લાં મતદારયાદી સુધારણાં કાર્યક્રમ એટલે કે એસએસઆર ૨૧ દરમિયાન નવા નોંધાયેલા મતદારો પૈકી જેમને ફોર્મ ફોર્મ નં.૬ સાથે પોતાના મોબાઇલ નંબર રજિસ્ટર કરાવેલ હશે, તેવાં મતદારો પોતાના મોબાઇલ કે ડેસ્કટોપ ઉપર હદૃજॅ પોર્ટલનો ઉપયોગ કરીને ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

પ્રલોભનથી પ્રભાવિત થયાં સિવાય મતદાન કરવા અંગેના શપથ ગ્રહણ કર્યા

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુકત, ન્યાયી તેમજ શાંતિ પૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવવાના તેમજ દરેક ચૂંટણીમાં ર્નિભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઇપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયાં સિવાય મતદાન કરવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.

મતદાર સુધારણાં કાર્યક્રમમાં સારી કામગીરી બદલ પ્રમાણપત્રો અપાયાં

ભારતના લોકશાહી તંત્રમાં મહાપર્વ સમાન લોકતાંત્રિ ક રીતે યોજાતી ચૂંટણીઓમાં ભારતનો દરેક નાગરિક બંધારણીય રીતે પોતાને પ્રાપ્ત થયેલ મતદાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાર યાદીમાં નામ નોંધાવેલ હોવું જરૂરી છે. આ માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ એટલે કે એસએસઆર ૨૦ મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન જિલ્લાના જે અધિકારી- કર્મચારીઓએ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી, તેઓનું જિલ્લા કલેકટર આર.જી. ગોહિલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

મતદાર નોંધણીની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ કોનું-કોનું સન્માન કરાયું?

તદ્‌અનુસાર જિલ્લા કક્ષાએ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિભાગમાં મતદાર નોંધણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિ કારી ગોપાલ બામણિયા, ૧૧૨-આણંદ વિધાનસભા મતવિભાગમાં મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે આણંદ(ગ્રામ્ય) મામલતદાર આર. બી. પરમાર, ૧૧૪-સોજિત્રા વિભાનસભા મતવિભાગમાં બેસ્ટ નાયબ મામલતદાર તરીકે મતદારયાદીના નાયબ મામલતદાર ડી. જી. રાઠોડ, ૧૧૨- આણંદ વિધાનસભા મતવિભાગમાં બીએલઓ સુપરવાઇઝર તરીકે બોરિયાવી કુમારશાળાના મદદનીશ શિક્ષક વિનોદભાઇ પટેલ અને ૧૧૨-આણંદ વિધાનસભા મતવિભાગમાં બીએલઓ તરીકે મદદનીશ શિક્ષક જે.યુ. વસાવાને સન્માનિત કરવામાં આવ્યા હતા.