સુરેન્દ્રનગર, જિલ્લામાં ભાજપનું વર્ચસ્વ સારૂએવું છે. મોટાભાગની તાલુકાપંચાયતો ભાજપના કબજામાં છે. સાંસદ અને ધારાસભ્યોપણ ભાજપના છે. છતાં જ્ઞાતિના સમીકરણને લીધે કેટલાક ગામોમાં કોંગ્રેસનું જાેર રહ્યું છે.  જિલ્લાના ગામડાઓપણ વર્તમાન સમયે વિકાસની હરણફાળ ફરી રહ્યા છે. લાખોની ગ્રાન્ટો આવતા આજે ગામડાપણ સુવિધાઓથી સજ્જ થયા છે. જિલ્લાના ૪૯૮ ગામડામાં સરપંચની મુદતપૂરી થઇ રહી છે. જેથી ડિસેમ્બરમાં તમામ ગામમાં સરપંચની ચૂંટણી યોજાવાને કારણે અત્યારથી જ ચૂંટણીનો માહોલ જામી ગયો છે.

સરપંચની ચૂંટણી રાજકીયપક્ષના બેનર નીચે નથી લડાતી છતાં ભાજપ, કોંગ્રેસ બંનેપોતાના સમર્થનના સરપંચ ચૂંટાય તે માટે કવાયત કરતા થઇ ગયા છે.સૂત્રોના જણાવ્યા મુજબ ગામડાંઓમાં સરપંચોનું વર્ચસ્વ હોય છે. સરપંચ એટલે ગામના રાજા માનવામાં આવે છે. વર્તમાન સમયે સરકાર દ્વારા સરપંચોને મોટી રકમની ગ્રાન્ટની સાથે ઘણી બધી સત્તાઓપણ આપવામાં આવી છે. જિલ્લાના ૪૯૮ ગામના સરપંચની મુદતપૂરી થતા ડિસેમ્બરમાં તમામપંચાયતોની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ છે. ગ્રામપંચાયતના સરપંચોની બેઠકોપર ઇવીએમના સ્થાને મતપેટી અને બેલેટપેપરના ઉપયોગથી મતદાન થવા જઇ રહ્યું છે. તાજેતરમાં યોજાયેલીપેટા ચૂંટણીઓમાં શહેરી વિસ્તારોમાં ભાજપનો દબદબો કાયમ રહ્યો હતો.

ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં તમામપક્ષો જે આગામી વિધાનસભાની તૈયારીઓ કરી રહ્યા છે ગ્રામ્યકક્ષાએપોતાની સ્થિતિ મજબૂત કરવાપોતાના સમર્થક સરપંચ આવે તેવા પ્રયાસો કરશે. આમ ભાજપ અને કોંગ્રેસ માટે ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં લોકોનો કોની તરફ ઝોક રહેશે તેપણ નક્કી થશે. બિનહરીફ ચૂંટાય તેવી ગ્રામપંચાયતોને મળતું ૨૦૦૧ અગાઉ અપાતા ૧૦૦૦ અને ૨૦૦૦ની જગ્યાએ સરકારે ઓક્ટોબર-૨૦૦૧થી સમરસ ગ્રામપંચાયતને પ્રોત્સાહન આપવા ૧ લાખ સુધીનું અનુદાન આપવાનું નક્કી કરાયું છે. જ્યારે મહિલા સમરસ ગ્રામપંચાયતને બે ગણુ એટલે કે ૨ લાખ અનુદાન મળે છે. જિલ્લામાં ૪૯૮ ગ્રામપંચાયતની બેઠકોપર ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે. મહિલાઓને મળતી ૫૦ ટકા અનામતની બેઠકો છે.જ્યારે જે તે કેટેગરીમાંપણ મહિલાઓને ૫૦ ટકા અનામત છે. આથી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મહિલા ઉમેદવારો અને મહિલા મતદારોપણ મહત્વનો ભાગ ભજવશે.