હાલોલ
હાલોલ શહેરના બસ સ્ટેન્ડ નજીક આવેલ ધ્વારિકાધીશજી હવેલી ખાતે તૃતીય ગૃહ કાંકરોલી યુવરાજ પં.પુ.ગો.૧૦૮ ડો વાગીશકુમારજી મહોદય દ્વારા વૈષ્ણવ સંપ્રદાય ના નાનાં બાળકો તેમજ યુવાઓ ને મહિલાઓને બ્રહ્મસંબંધ દીક્ષા પ્રદાન કરવામાં આવેલ હતી,જે બાદ હાજર સૌને પોતાના વૈષ્ણવ સંપ્રદાય ને પુષ્ટિમાર્ગ પ્રત્યે ના તેમના કર્તવ્યો અંગે ઉપદેશ આપવામાં આવ્યો હતો. તેમજ હોલી નો તહેવાર નજીક હોવાથી સાંજ ના ૭ઃ૦૦ કલાકે શ્રી ધ્વારિકાધીશજી હવેલી ના ચોગાનમાં ફાગોત્સવ પર્વની ઉજવણી રૂપે રસીયા નો કાર્યક્રમ ર્કિતન વૃંદ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં શહેરના વૈષ્ણવોએ મોટી સંખ્યામાં હાજર રહી રસીયાનું રસપાન કરી ને, કાર્યક્રમમાં ઉપસ્થિત મહારાજજી ના ચરણોમાં શિશ જુકાવી ધન્યતા પ્રાપ્ત કરેલ હતી. કાંકરોલી યુવરાજ પં.પુ.ગો. ૧૦૮ ડો.શ્રી વાગીશકુમારજી મહોદયશ્રી દ્વારા ઉપસ્થિત રહી ૮૦ ઉપરાંત બાળકો સહિત યુવાનો, યુવતીઓ, મહિલાઓને પુરૂષોને બ્રહ્મસંબંધ દીક્ષા પ્રદાન કરવામાં આવેલ હતી, જે બાદ હાજર સૌ વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષાનો મર્મ સમજાવતા, પુષ્ટિ સંપ્રદાય પ્રત્યે તેમના કર્તવ્યો અંગે ઉપદેશ આપતા જણાવાયેલ કે બ્રહ્મસંબંધ મેળવી વૈષ્ણવો શ્રી ઠાકોરજીની સમિપ થઈ, પોતાનું સર્વસ્વ તેમની સેવામાં સમર્પિત કરવાની તેમને વિનવણી કરવામાં આવે છે.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments