દિલ્હી-

પંજાબમાં વિજયાદશમી નિમિત્તે રાવણના પુતળામાં પીએમ નરેન્દ્ર મોદીના માસ્ક સળગાવવા ઉપર જોરદાર યુદ્ધ શરૂ થયું છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું છે કે રાહુલ ગાંધીના નિર્દેશન પર આ નાટક પંજાબમા કરવામાં આવ્યું છે. નડ્ડાએ કહ્યું કે આ ઘટના શરમજનક છે પણ અનપેક્ષિત નથી.

આ સાથે જ રાહુલ ગાંધીએ આ ઘટના પર કહ્યું છે કે પીએમ મોદીનો પુતળા સમગ્ર પંજાબમાં સળગાવવામાં આવ્યા હતા. રાહુલે કહ્યું કે દુ:ખની વાત છે કે પીએમ પ્રત્યે લોકોનો ગુસ્સો પંજાબમાં આ સ્તરે પહોંચ્યો છે, પીએમ મોદીએ આ લોકો સાથે વાત કરવી જોઈએ. રવિવારે પંજાબના કેટલાક લોકોએ રાવણના પુતળામાં પીએમ મોદીનો માસ્ક મૂકીને આ પુતળાનું દહન કર્યું હતું. આ અંગે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે પંજાબમાં પીએમ મોદીના પુતળા સળગાવવાના શરમજનક નાટકનું દિગ્દર્શન રાહુલ ગાંધીએ કર્યું છે, પરંતુ તેમને એવી જ આશાઓ હતી.