દિલ્હી બોર્ડર પર ખેડુતે કરી આત્મહત્યા , સ્યુસાઇડ નોટમાં જણાવી પોતાની અંતિમ ઇચ્છા
02, જાન્યુઆરી 2021

દિલ્હી-

કેન્દ્રના ફાર્મ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર ખેડુતોનો વિરોધ પ્રદર્શન ચાલુ છે. શિયાળાની ઠંડીમાં પણ ખેડુતો ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાની માંગ પર અડગ છે. આ દરમિયાન દિલ્હીની બોર્ડર પર બીજા ખેડૂતે આત્મહત્યા કરી લીધી હતી. ગાઝિયાબાદના યુપી ગેટ પર શનિવારે એક ખેડૂતે શૌચાલયમાં આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનાર ખેડૂત કાશ્મીરસિંહ હતા અને તે 75 વર્ષના હતા. સ્યુસાઇડ નોટમાં તેણે પોતાની છેલ્લી ઇચ્છાનો ઉલ્લેખ કર્યો છે.

મૃતક ખેડુતો ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના બિલાસપુરના છે. તેણે એક સ્યુસાઇડ નોટ પણ છોડી દીધી છે. ભારતીય ખેડૂત સંઘે કહ્યું કે તે ખૂબ દુ:ખની વાત છે કે આજે રામપુર જિલ્લાના સરદાર કાશ્મીરસિંહ લાડીએ યુપી ગેટ ખાતેના શૌચાલયમાં આત્મહત્યા કરી છે. પોતાની સ્યુસાઇડ નોટમાં તેમણે લખ્યું છે કે મારા અંતિમ સંસ્કાર અહીં દિલ્હી યુપી બોર્ડર પર મારા પૌત્ર અને બાળકના હસ્તે થવું જોઈએ. ખેડૂત સંઘે જણાવ્યું કે તેમનો પરિવાર, પુત્ર અને પૌત્ર અહીં સતત સેવા આપી રહ્યા છે. સુસાઇડ નોટ હવે પોલીસ કસ્ટડીમાં છે. તેમણે નોટમાં પોતાની આત્મહત્યા માટે સરકારને જવાબદાર કહ્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution