દિલ્હી-

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડુતોના વિરોધને સમર્થન આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને ખેડૂતોની માંગણીઓનું સમર્થન વ્યક્ત કર્યું હતું. કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ બિલ ખેડૂત વિરોધી છે. આ બિલ પાછું ખેંચવાને બદલે, ખેડૂતોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાથી અટકાવવામાં આવી રહ્યું છે, તેમના પર પાણીના તોપ ચલાવવામાં આવી રહ્યા છે. ખેડૂતો સામેનો આ ગુનો સાવ ખોટો છે. શાંતિપૂર્ણ પ્રદર્શન તેમનો બંધારણીય અધિકાર છે.