માંડવી. માંડવી માંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની નહેરની બન્ને બાજુ ચોમાસામાં ઊગી નીકળેલ ઝાડી-ઝંખરી ની સાફ-સફાઈ ન થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને દિવસે પણ નહેર પરથી પસાર થતાં થથરી રહ્યા છે. માંડવી નગરના અંધાત્રી તથા રૂપણ અને વરેઠ વિસ્તારમાંથી પસાર થતી કાકરાપાર નહેર ની બન્ને બાજુ ઝાડી-ઝંખરીઓ દૂર કરી સિંચાઇ વિભાગ દ્વારા આ કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અંધાત્રી તથા વરેઠ વિસ્તારમાં ઘણી વાર દિપડા દેખાતા હોવાની ચર્ચાનાં કારણે ખેડૂતો દિવસે પણ ઝાડી-ઝંખરી ભરેલા વિસ્તારમાંથી પસાર થતા ડરી રહ્યા છે. સિંચાઇ વિભાગ દ્વારા તાકિદે આવી નડતરરૂપ ઝાડી-ઝંખરીને દૂર કરવામાં આવે તેવી ખેડૂતો તથા આ માર્ગ પરથી પસાર થતા લોકોની માંગ ઉઠી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments