ભરૂચ, ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિ ઘણી વિકટ બની રહી છે, કોરોનાની બીજી લહેરે કેટલાય લોકોના ઘર વેર વિખેર કરી નાખ્યા છે તેવામાં જ શનિવારના રોજ એક ૧૪ વર્ષનાં બાળકને એક જ અઠવાડિયામાં પોતાના માતા અને પિતા બંને ગુમાવતા એકલો પડી ગયો હતો. ભરૂચ જિલ્લાના મનુબર ગામ ખાતે રહેતા ૧૪ વર્ષીય જયરુદ્ર પરમાર નામના બાળકનાં માતા અને પિતાને કોરોના થયો હતો અને બંને માતા-પિતાને હોસ્પીટલ ખાતે ખાસેડવામાં આવ્યા હતા, ત્યારે એક અઠવાડિયા પહેલા જ બાળકની માતા દીપ્તિકાબેન હિતેશકુમાર પરમારે કોરોના સામે હાર માની જીવ ગુમાવ્યો હતો અને શનિવારના રોજ તેમના પિતા હિતેશકુમાર પરમારે પણ કોરોના સામે હાર માની હતી. શનિવારે કોવીડ સ્મશાન ખાતે બાળકે અશ્રુભુની આંખે પિતાને અગ્નિદાહ આપતા હૃદયદ્રાવક દ્રશ્યો જાેવા મળ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments