ભરૂચ કોવિડ સ્મશાનમાં બાળકનો અશ્રુભીની આંખે પિતાને અગ્નિદાહ
10, મે 2021

ભરૂચ, ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિ ઘણી વિકટ બની રહી છે, કોરોનાની બીજી લહેરે કેટલાય લોકોના ઘર વેર વિખેર કરી નાખ્યા છે તેવામાં જ શનિવારના રોજ એક ૧૪ વર્ષનાં બાળકને એક જ અઠવાડિયામાં પોતાના માતા અને પિતા બંને ગુમાવતા એકલો પડી ગયો હતો. ભરૂચ જિલ્લાના મનુબર ગામ ખાતે રહેતા ૧૪ વર્ષીય જયરુદ્ર પરમાર નામના બાળકનાં માતા અને પિતાને કોરોના થયો હતો અને બંને માતા-પિતાને હોસ્પીટલ ખાતે ખાસેડવામાં આવ્યા હતા, ત્યારે એક અઠવાડિયા પહેલા જ બાળકની માતા દીપ્તિકાબેન હિતેશકુમાર પરમારે કોરોના સામે હાર માની જીવ ગુમાવ્યો હતો અને શનિવારના રોજ તેમના પિતા હિતેશકુમાર પરમારે પણ કોરોના સામે હાર માની હતી. શનિવારે કોવીડ સ્મશાન ખાતે બાળકે અશ્રુભુની આંખે પિતાને અગ્નિદાહ આપતા હૃદયદ્રાવક દ્રશ્યો જાેવા મળ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution