સુરત-
શહેરના વરાછા ખાતે આવેલ માતાવાડી વિસ્તારમાં આજે સવારે દબાણ હટાવવા માટે પહોંચેલી ટીમ પર લારી - ગલ્લાવાળાઓ દ્વારા હુમલો કરવામાં આવતાં મામલો બિચક્યો હતો. ભારે હોબાળાને પગલે સ્થાનિકોનું ટોળું પણ ઘટના સ્થળે ઉમટી પડ્યું હતું. સમગ્ર ઘટના અંગે વરાછા ઝોન દ્વારા હાલ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર વરાછા ઝોન - એની એક ટીમ આજે માતાવાડી વિસ્તારમાં ન્યૂસન્શ રૂપ સાબિત થઈ રહેલા લારી - ગલ્લાઓના દબાણ દુર કરવા માટે પહોંચી હતી. અલબત્ત, દબાણ હટાવવાની કામગીરી કરી રહેલા કર્મચારીઓ સાથે શરૂઆતમાં લારી - ગલ્લાવાળાઓ દ્વારા ઉગ્ર બોલાચાલી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.
જો કે, લારી - ગલ્લાવાળા અસામાજીક તત્વોને તાબે થવાને બદલે દબાણ ખાતાની ટીમ દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતાં ક્રોધે ભરાયેલા આ ઈસમો દ્વારા મનપાના કર્મચારીઓ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું. માર્શલની ટીમ દ્વારા આ સમગ્ર બબાલમાં મનપા કર્મચારીઓનો બચાવ કરવામાં આવતાં કોઈ કર્મચારીને ઈજા પહોંચી નહોતી. જો કે, બાદમાં મનપાની દબાણ ખાતાની ટીમના કર્મચારીઓ દ્વારા બપોરે વરાછા પોલીસ મથકે પહોંચીને લારી - ગલ્લાવાળાઓ વિરૂદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ સહિત મારામારી સંદર્ભેની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments