બાળકો માટે સૌપ્રથમ વાર કોવિડ19 ની ગાઇડલાઇન્સ જારી કરાઈ, જાણો વધુ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, એપ્રીલ 2021  |   1485

દિલ્હી-

દેશમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આ લહેરમાં પરિવારના કેટલાક સભ્યો એકસાથે બીમાર પડી રહ્યા છે. આવામાં બાળકો પણ કોરોના સંક્રમિત હોવાનું જાેખમ પહેલાં કરતાં અનેક ગણું વધી ગયું છે. જેથી સરકારે બાળકો માટે પહેલી વાર કોવિડ-૧૯ની ગાઇડલાઇન્સ જારી કરી છે. નવા બદલાવમાં હોસ્પિટલોમાં દબાણ ઓછું કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આમાં હોમ આઇસોલેશનને લઈને ઓક્સિજન સ્તરમાં બદલાવ કર્યા છે. જુલાઈ, ૨૦૨૦માં ત્રણ લેયરવાળા માસ્ની જગ્યાએ દ્ગ-૯૫ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા હતા. આવો જાણીએ, બાળકો માટેની ગાઇડલાઇન્સપ

• પ્રોટોકોલમાં વગર લક્ષણોવાળા, હળવાં અને વધુ લક્ષણોવાળાં બાળકો માટે અલગથી ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે.

• વગર લક્ષણોવાળાં બાળકો માટે સારવારની વાત નથી કરવામાં આવી

• હળવાં લક્ષણોવાળાં બાળકોને ગળામાં ખરાશ, નાક વહેવું, શ્વાસ લેવામાં તકલીફની સાથે ખાંસી હોઈ શકે છે. કેટલાંક બાળકોમાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યા થઈ શકે. આવાં બાળકોની હોમ આઇસોલેશનમાં સારવાર કરી શકાય છે.

• ડોક્ટર બાળકોને પેરાસિટામોલ (૧૦-૧૫ એમજી) આપી શકે. એને દરેક ૪-૬ કલાકે રિપીટ કરી શકાશે.

• બાળકોમાં હાઇડ્રેશન માટે ઓરલ ફ્લુઇડની સાથે ન્યુટ્રિશન ડાયટની સલાહ આપવામાં આવી છે.

• હળવાં લક્ષણોવાળાં બાળકોને એન્ટિ-બાયોટિક્સ ન આપવાની સલાહ છે.

• હળવાં લક્ષણોવાળાં બાળકોમાં ન્યુમોનિયા હોઈ શકે. આવા બાળકોને રૂટિન લેબ ટેસ્ટની ભલામણ નથી કરવામાં આવી, જ્યા સુધી તેમનામાં ગંભીર લક્ષણો ન દેખાય.

• મોડરેટ લક્ષણોવાળાં બાળકોને કોવિડ ડેડિકેટેડ હેલ્થ સેન્ટર અથવા સેકન્ડરી લેવલ કેર કેસિલિટીમાં એડમિડ કરવાની વાત કરવામાં આવી છે.

• ઓક્સિજન સેચ્યુરેશન ૯૪ ટકાથી ઓછું થવા પર ઓક્સિજન સપ્લિમેન્ટની જરૂર પડી શકે.

• હોમ આઇસોલેશન માટે ઓક્સિજન ૯૫થી ઘટાડીને ૯૪ કરવામાં આવ્યું છે.

• કેન્સર અને ટ્રાન્સપ્લાન્ટવાળા પેશન્ટ હોમ આઇસોલેશનમાં રહી શકશે.

• કોરોના પેશન્ટની દેખભાળ કરવાવાળાએ ચાર કલાકનો મોનિટરિંગ ચાર્ટ બનાવવાનો રહેશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution