અમદાવાદ, સમગ્ર દેશમાં ચર્ચા જગાવનારા આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકાંડના કેસમાં ભૂતપૂર્વ ધારાસભ્ય દીનુ સોલંકીને જામીન પર છોડવાનો ગુજરાત હોઇકોર્ટે આદેશ કર્યો છે.ગુજરાત હાઈકોર્ટે આજે ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીની આજીવન કેદની સજા સ્થગિત કરી હતી, જેને ૨૦૧૯ માં સીબીઆઈની વિશેષ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.તેની સજા સ્થગિત કરીને અને તેને શરતી જામીન આપતાં, જસ્ટિસ પરેશ ઉપાધ્યાય અને જસ્ટિસ એ.સી. જાેશીની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે કેસ સંજાેગોવશાત પુરાવા પર આધારિત છે.દિનુ સોલંકીએ તેમને કરાયેલી સજા સામે હાઈકોર્ટમા અપીલ કરી હતી. જેની સુનાવણી બાદ કોર્ટે એક લાખ રૂપિયાના જામીન ઉપર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટે શરતોને આધીન જામીન આપ્યાં છે જેમાં દેશની બહાર મંજૂરી વિના ન છોડવાની પણ શરત રાખવામાં આવી છે.આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ વર્ષ ૨૦૧૦માં ગીર અભયારણ્યમાં ગેરકાયદે ખનન થતું હોવાનો આરોપ લગાવીને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. આ અરજીની સુનાવણી શરૂ થતાંની સાથે જ અમિત જેઠવાની હાઇકોર્ટની સામે જ ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. ર્ ૨૦૧૦ની ૨૦મી જુલાઇના રોજ થયેલી હત્યામાં તત્કાલિન સાંસદ અને પૂર્વ ધારાસભ્ય દિનુ બોઘા સોલંકીનું નામ સામે આવ્યું હતું., અમિત જેઠવાના પિતાએ આ મામલે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં દીના સોલંકીની સંડોવણીનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ કરાઇ હતી. જેમાં દીનુ સોલંકીને સંડોવણીને નકારી તેમને ક્લિન ચીટ આપી હતી.દીના સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી,
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments