અમદાવાદ-
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીનું શનિવારે ૯૩ વર્ષની વયે નિધન થયું છે. સદ્ગત ચાર વખત રાજ્યના મુખ્યમંત્રીપદે અને પી વી નરસિંહરાવ સરકારમાં વિદેશમંત્રી તરીકે પણ રહી ચૂક્યા હતા. ગુજરાતની રાજનીતીમાં ક્ષત્રિયો, હરીજન, આદિવાસી અને મુસ્લીમ તમામને એક મંચ પર લાવવાની રણનીતી અખત્યાર કરનાર સોલંકી પહેલાં હોવાનું મનાય છે. આને ખામ થીયરી કહે છે અને એંસીના દાયકામાં સોલંકી એની અજમાયશથી જ બહુમત સાથે સત્તા પર આવ્યા હતા.
જાે કે, સોલંકીના આવા દાવને પગલે રાજ્યનો પટેલ સમાજ તેમનાથી દૂર થયો અને જતે દિવસે ભાજપની સાથે થયો. સોલંકી પોતે વકીલ હતા, અને ૧૯૭૭માં તેઓ રાજ્યના પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા. ૧૯૮૦માં રાજ્યની ૧૮૨ વિધાનસભા બેઠકોમાંથી જંગી ૧૪૧ બેઠકો પર વિજયી થયા હતા. ત્યારે ભાજપને માત્ર ૯ બેઠકો મળી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments