વડોદરા

 મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારો વિનાશકારી પૂરમાં સપડાયા છે.તેને અનુલક્ષીને વડોદરા ખાતેની એન.ડી.આર.એફ ની ૪ ટીમો તાત્કાલિક હવાઈ માર્ગે કોલ્હાપુર મોકલવામાં આવી છે.


ભારતીય સેનાના ૫ પરિવહન હવાઈ જહાજોની મદદથી આ ટીમોને બચાવ અને રાહતના જરૂરી અદ્યતન ઉપકરણો અને સાધન સુવિધા સાથે પૂર પીડીત ક્ષેત્રમાં પહોંચાડવામાં આવી રહે છે જ્યાં આ ટીમોના તાલીમબદ્ધ અને કુશળ જવાનો સ્થાનિક પ્રશાસન,પોલીસ અને બચાવ રાહત દળો સાથે કામગીરીમાં જોડાશે.કોલ્હાપુર થી આ લોકોને પુણે, સાંગલી અને સતારા જેવા વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી સોંપવામાં આવે એવી શક્યતા છે તેમ બટાલિયન ૬ ના નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું હતુ.