જૂલી-૨, લાલબજાર અને નકસલ બાદ હવે જી-૫ ફરી એક વખત થ્રીલર વેબસિરીઝ માફિયા લઈને આવી રહ્યું છે જે ઘરેલુ માફિયા પર કેન્દ્રીત છે. માફિયામાં છ જૂના કોલેજના મીત્રોની કહાની બતાવવામાં આવશે જે પોતાની મીત્રતામાં પાંચ વર્ષના અંતરાલ બાદ એકબીજાને મળે છે. આ ઝારખંડના વિચિત્ર જંગલોની પૃભૂમિમાં સ્થાપિત છે યાં તેની મુખ્ય કહાની એક રિ-યુનિયન પક્ષની આજુબાજુ ફરતી જોવા મળશે. આ રી-યુનિયનમાં મસ્તી, ઈન્ટીમસી, ધૃણા અને અતીતના વિશ્ર્વાસઘાતની ભાવના પણ બતાવવામાં આવશે.

આ સિરીઝમાં નીતિનનું મુખ્ય પાત્ર ભજવનારો નમિત દાસ કહે છે કે દર્શકોને રહસ્ય અને ડ્રામાની એક રોલર-કોસ્ટર સવારી માટે તૈયાર રહેવું પડશે. શોમાં તેના પાત્રોના અલગ અલગ રૂપ જોવા મળે છે અને દરેક એપિસોડ સાથે કહાની એક નવા સુરાગથી પરિચીત કરાવશે. હું રોમાંચિત છું કે ૧૦ જૂલાઈએ જી-૫ પર આ વેબસિરીઝ રિલિઝ થશે અને દર્શકોને પણ તે ઘણી જ પસદં પડશે.

માફિયા વેબસિરીઝને બીરસા દાસગુપ્તા દ્રારા નિર્દેશિત અને એસ.કે.મૂવીઝ દ્રારા પ્રોડયુસ કરવામાં આવી છે. આ શોમાં નમિત દાસ, તન્મય ધનન્યા, ઈશા એમ.સાહા, અનીદિતા બોસ અને મધુરિમા રોય મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.