ગાંધીનગર, હિંદુત્વના ઠેકેદાર બનેલા ભાજપના આગેવાનોએ બાપા સીતારામની મઢૂલીના ટેક્સ માટે બજરંગદાસ બાપાને નોટિસ મોકલી છે. જેના કારણે હિંદુત્વના નામે જનતાને ભોળવી રહેલા ભાજપના લોકોની વાસ્તવિકતા બધાની સામે આવી ગઈ છે, તે આપ’ના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું છે. એટલું જ નહીં સરકાર એક તરફ પાર્ટીને ફંડ આપતી ખાનગી શાળાઓને ૫૦ ટકા વેરો માફ કરે છે, જ્યારે મઢૂલીને માત્ર ત્રણ હજાર જેટલી રકમ માટે નોટિસ ફટકારે છે તેમ પણ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે હું શરૂઆતથી જ કહું છું કે ભાજપ હિંદુ વિરોધી પાર્ટી છે. ભાજપ સરકારે અનેક મંદિરો પર બુલડોઝર ચલાવ્યું છે. થોડા સમય પહેલા અમદાવાદમાં પણ ગોગા મહારાજનું મંદિર અને સુરતમાં રામદેવ પીરનું મંદિર તોડવામાં આવ્યું હતું. આજે ભાજપ સંચાલિત ભાવનગર મહાપાલિકા દ્વારા બાપા સીતારામની મઢૂલી માટે જાણીતા સંત સ્વ. બજરંગદાસ બાપા નામે રૂ. ૩૦૩૦નો વેરો જમા કરાવવા માટેની નોટિસ મોકલી છે. ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી, તેમને કોઈ મંદિર સાથે કોઈ લેવાદેવા નથી. જ્યારે આજે આખું ગુજરાત બજરંગદાસ બાપાને સંત તરીકે પૂજે છે, હું પણ તેમની પૂજા કરું છું. આ કારણોસર આમ આદમી પાર્ટીએ ર્નિણય કર્યો છે કે, બાપા સીતારામની મઢુલી પર બીજાે કોઈ ટેક્સ હોય અથવા આ સિવાય અન્ય બીજા મંદિર પર કોઈપણ ટેક્સ હોય જે સરકાર ચૂકવી ન શકતી હોય તેને આમ આદમી પાર્ટી ચૂકવવા તૈયાર છે તેમ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું. ગઢવીએ જણાવ્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે આપના કાર્યકરો સાથે બજરંગદાસ બાપાના મંદિરેથી વેરો ભરવા જશું અને આ સાથે જાે કોઈ બીજા મંદિરોનો કોઈ વેરો હોય તો તે પણ અમને જણાવશો.