16, જાન્યુઆરી 2021
ગાંધીનગર-
કોરોના ની વૈશ્વિક મહામારી દરમિયાન ભારત દેશને કોરોના ની રસી પ્રાપ્ત થઈ છે જ્યારે જ્યારે તમામ રાજ્યોમાં રસી નું વિતરણ પણ કરવામાં આવ્યું છે અને 16 જાન્યુઆરીનાં રોજ દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રસીકરણની પ્રક્રિયા શરૂ કરાવશે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કુલ બાર જગ્યાઓ ખાતે રસીકરણ સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે. ગાંધીનગર શહેરમાં ત્રણ અને ગાંધીનગર જિલ્લામાં કુલ નવ સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે. 16 જાન્યુઆરીનાં રોજ રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે રસીકરણ માટેની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાય રનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ દરમિયાન જ તમામ કર્મચારીઓને રસીકરણની તાલીમ પણ આપી દેવામાં આવી હતી.
ક્યાં ક્યાં આપવામાં આવશે વેક્સિન?
પ્રાતિયા PHC
છાલા CHC
રખિયાલ CHC
પ્લુન્દ્રા PHC
ધીગુચા CHC
મુખાજન PHC
માણસાનાં પુલન્દ્રા PHC
એપોલો હોસ્પિટલ