નર્મદા નદીમાં ઘોડાપૂર: ભરૂચના બ્રિજ પર નર્મદા નદીની સપાટી 32.14 ફૂટ પહોંચી
31, ઓગ્સ્ટ 2020

નર્મદા-

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમ માંથી ૨૩ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્ય્šં છે. જેના પગલે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. નર્મદામાં છોડવામાં આવેલા પાણીને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદાના ૫૨ ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. બીજી તરફ નર્મદા નદી બે કાંઠે વહેતી થતાં ગરુડેશ્વર ખાતે એક મંદિર પાણીમાં ધરાશાયી થયું છે. નદીના પાણીને કારણે આસપાસની જમીન પોચી બની જતાં મંદિરે જળસમાધી લીધી છે. આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે. ગરુડેશ્વર નજીક આવેલા અકતેશ્વર મહાદેવ મંદિરે જળસમાધી લીધી હતી. નર્મદામાં છોડવામાં આવેલા પાણીને કારણે નદીનું પાણી મંદિર સુધી પહોંચી ગયું હતું. આ મંદિર પાણીમાં ધરાશાયી થયું તેના લાઇવ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા.

ત્યાં બાજુમાં આવેલી કોલોનોમાં પણ પાણી ફરી વળ્યું છે. એક સ્થાનિકે જણાવ્યું હતું કે સવારે મંદિર પાણીમાં વહી ગયું છે. બાજુમાં આવેલું દત્ત મંદિર પણ ખતરા પર છે. મંદિરની બાજુમાંથી માટીનું ધોવાણ થઈ રહ્ય્šં છે. પાણીના મોજાને કારણે માટીનું ધોવાણ થઈ રહ્ય્šં છે. બીજી તરફ નર્મદા નદીમાં પાણી છોડવાને કારણે નર્મદા જિલ્લામાં ૨૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ઉપરવાસમાંથી ૧૦ લાખ ૧૫ હજાર ક્્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના ૨૩ દરવાજા ખોલીને ડેમમાંથી ૯ લાખ ૫૪ હજાર ક્્યુએક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્ય્šં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution