જૂનાગઢ-

જૂનાગઢમાં ગિરનાર રોપ-વે એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ છે. પેસેન્જર રોપવે ક્ષેત્રે અગ્રણી ગણાતી ઉષા બ્રેકોએ વિકસાવેલા ગિરનાર રોપ-વેને ગુજરાતના શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણ –બેસ્ટ યુનિક ટુરિઝમ અટ્રેકેશન ઓફ ગુજરાત ટુરિઝમ એવોર્ડ- ૨૦૨૦ એનાયત થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ગિફ્ટી સિટીમાં આ એવોર્ડ પ્રવાસનપ્રધાન જવાહર ચાવડા અને રાજ્યમંત્રી વાસણ આહિરને હસ્તે કંપનીના રિજિયોનલ વડા દીપક કપલિશને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 

કંપનીએ ગિરનાર રોપ-વે રૂ. ૧૩૦ કરોડના ખર્ચે બાંધ્યો છે. આ રોપ-વે દેશના આધુનિક રોપ-વેમાં થાય છે. વળી, એ વિશ્વમાં સૌથી લાંબો મંદિર રોપ-વે પણ છે. આ રોપ-વેથી ગિરનાર અને જૂનાગઢમાં ટુરિઝમ પ્રવૃત્તિને વેગ મળશે. આ ઉપરાંત ગિરનારની આસપાસ આવેલા સોમનાથ અને દ્વારકાના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૨૪ ઓક્ટોબર, ૨૦૨૦માં ગિરનાર રોપ-વે ખુલ્લો મુકાયો હતો. અત્યાર સુધીમાં આ રોપ-વેમાં બે લાખ પ્રવાસીઓ પ્રવાસ કરી ચૂક્યા છે.