ગુજરાત: છેલ્લા 24 કલાકમાં નવા 495 પોઝિટિવ કેસ નોંધાયા, 2 ના મોત
19, જાન્યુઆરી 2021

ગાંધીનગર-

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 495 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2 ના મોત નિપજ્યા છે. રાજયમાં કોરોના થી સાજા થવાનો રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 95.88 ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 495 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2 ના મોત નિપજ્યા છે. જે મોત ફક્ત અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં જ નોંધાયા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,67,557 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે, જે પૈકી 4,67,430 વ્યક્તિઓ હોમ ક્વૉરેન્ટાઈન છે અને 127 વ્યકતિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યાં છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6193 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં 54 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 6139 સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4367 જેટલા મૃત્યું નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 98, સુરત 86, બરોડામાં 74 અને રાજકોટમાં 59 જેટલા પોઝિટિવ કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.

 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution