ગાંધીનગર-

કેન્દ્ર સરકાર દ્વારા 1લી મેથી દેશભરમાં 18થી 44 વર્ષની વચ્ચેના લોકો માટે કોરોના રસીકરણની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આવતીકાલથી ગુજરાતમાં રસીકરણનું અભિયાન શરૂ થશે કે નહીં તે ગઈ કાલ સુધી નક્કી ન હતું. પરંતુ આજે શુક્રવારે ફરી એક વખત CM વિજય રૂપાણીએ જાહેરાત કરી છે જેમાં ગુજરાતના 10 જિલ્લાઓમાં 1લી મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસેથી કોરોના રસીકરણ કરવામાં આવશે.

1. કચ્છ

2. મહેસાણા

3. ગાંધીનગર

4. ભરૂચ

5. રાજકોટ

6. જામનગર

7. અમદાવાદ

8. સુરત

9. વડોદરા

10. ભાવનગર