ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયા, રિકવરી રેટ 98. 66 ટકા
12, જુલાઈ 2021

અમદાવાદ-

ગુજરાત ના કોરોના ના કેસના સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં રાજ્ય માટે સારા સમાચાર એ છે કે 460 દિવસ બાદ કોરોનાના 50 થી ઓછા કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના 50 થી ઓછા કેસ સાત એપ્રિલ 2020 બાદ નોંધાયા છે. જેમાં ગુજરાતમાં રવિવારે કોરોનાના 42 કેસ નોંધાયા હતા. જ્યારે એક પણ વ્યકિતનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના કુલ કેસોની વાત કરીએ તો હાલ 931 સક્રિય કેસ છે જેમાંથી 9 લોકો વેન્ટિલેટર પર છે. તેમજ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98. 66 ટકા નોંધાયો છે.આ ઉપરાંત રાજ્યના જિલ્લાવાર આંકડા પર નજર કરીએ ગાંધીનગર મહાનગર પાલિકા અને અન્ય 18 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution