સુરત-

શહેરના વરિયાવ ખાતે મોપેડ પર એક મહિલા TRB જવાન જઈ રહી હતી. તે દરમિયાન પૂરઝડપે આવતા ડમ્પર ચાલકે તેને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. તો આ ઘટનાની જાણ થતા જાગીરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ સાથે જ TRB જવાનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવ્યા હતા. મળતી માહિતી મુજબ શહેરના વરિયાવ તારવાડીમાં આવેલા ચૌધરી ફળિયામાં રહેતી 21 વર્ષીય પ્રીતિ પ્રવીણભાઈ ચૌધરી TRBમાં ફરજ બજાવતી હતી. પ્રીતિ પાલનપુર પાટિયા પોઈન્ટ પર ફરજ માટે જવા માટે મોપેડથી ત્યાં જઈ રહી હતી. તે દરમિયાન જ વરિયાવ ગામ રોડ પર ડમ્પરચાલકે પ્રીતિને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. મૃતક TRB જવાન પ્રીતિ ચૌધરી માતા અને બહેન સાથે રહેતી હતી. અને તે TRB જવાન તરીકે ફરજ બજાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. જોકે, અકસ્માતમાં મોત નિપજતા તેના પરિવારમાં ભારે શોક ફેલાયો છે. હાલ જાગીરપુરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે