આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો ૨૫૦ ફૂટ લાંબો અને ૨૪ ફૂટ પહોળો તિરંગો સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ૨૨ માળની રાજકોટના સિલ્વર હાઈટ્‌સ બિલ્ડિંગમાં લહેરાવવામાં આવ્યો છે. આ રાષ્ટ્રધ્વજ એક કિમી દૂરથી પણ દેખાય છે.‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે રંગીલા રાજકોટના રહેવાસીઓ પણ પોતાના ઘર ઓફિસ કે સોસાયટી બહાર તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા ૨૨ માળની સિલ્વર હાઈટ્‌સ સોસાયટી કે જે સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું બિલ્ડિંગ ધરાવે છે તેમજ રાજકોટના પોશ વિસ્તારમાં એનો સમાવેશ થાય છે. આ સોસાયટીના લોકો પણ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જાેડાયા છે અને સૌથી મોટો તિરંગો લહેરાવ્યો છે. આ તિરંગાએ રાજકોટવાસીઓમાં આકર્ષણ જમાવ્યું છે.