દિલ્લી,

IAS નવીનકુમાર ચૌધરી જમ્મુ-કાશ્મીર કેડરના વરિષ્ઠ અધિકારી છે. નવીન આવા પહેલા અધિકારી છે કે જેમણે જમ્મુ-કાશ્મીરની બહારના રહેવાસી હોવા છતાં જમ્મુ-કાશ્મીરના કાયમી રહેવાસી હોવાનો પ્રમાણપત્ર મેળવ્યો છે.

જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે નવીન કુમાર ચૌધરીને 24 જૂને ડોમિસાઇલ સર્ટિફિકેટ આપ્યું હતું. જમ્મુ ડિવિઝનના ગાંધીનગર વિસ્તારના તહસીલદારે નવીનકુમાર ચૌધરીને કાયમી રહેવાસી હોવાનું પ્રમાણપત્ર આપ્યું હતું.

5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 35છ અને કલમ 370 ની જાગવાઈઓ રદ્દ કરવામાં આવી હતી. ભારત સરકારના આ નિર્ણય પછી જમ્મુ-કાશ્મીર એક કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. કલમ 35 છ અને કલમ 370 ની જાગવાઈઓમાં પરિવર્તન પહેલા, કોઈ પણ બાહ્ય વ્યક્તિને જમ્મુ-કાશ્મીરમાં કાયમી રહેવાસી બનાવવાની જાગવાઈ નહોતી.

આ જાગવાઈઓમાં ફેરફાર થયા બાદ હવે કોઈપણ બહારનો વ્યક્તિ જમ્મુ-કાશ્મીરનો કાયમી રહેવાસી બની શકે છે. જાગવાઈઓમાં ફેરફાર થયા બાદ વિરોધ પણ થયો હતો. જે બાદ રાજ્યના ડોમિસાઇલ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો.