લોકસત્તા ડેસ્ક 

શરદી, ઉધરસથી બચવા માટે સામાન્ય રીતે આપણે મીઠાવાળા પાણીના કોગળા કરતા હોઇએ છીએ પણ આ પ્રયોગ કોરોના વાયરસથી પણ બચાવી શકે છે. એડિનબર્ગ યુવિર્સિટીના રિસર્ચરોએ એક અભ્યાસ પછી પુષ્ટિ કરી છે કે, મીઠાવાળા પાણીના કોગળા કરવાથી ગળાના ઇન્ફેક્શનમાં ફાયદો થાય છે. જર્નલ ઓફ ગ્લોબલ હેલ્થમાં છપાયેલ આ અભ્યાસ અનુસાર , તેમાં રોગ સામે લડવાની અને સંક્રમણ પર પ્રભાવિક અસર કરવાની ક્ષમતા છે. આ સાથે પણ રોજબરોજના જીવનમાં મીઠાવાળું પાણી અનેક રોગોને જળમૂળમાંથી ભગાડે છે. તો આજે જોઇએ આપણે મીઠાના પાણીથી કેવા કેવા ફાયદા થાય છે.

મીઠાનું પાણી એક સારું એન્ટિબેક્ટેરિયલ સોલ્યુશન હોય છે. જેથી જો તમારો અવાજ બેસી ગયો હોય તો મીઠાના પાણીના કોગળા કરવાથી અવાજ ખુલી જાય છે અને ગળામાં સારું લાગે છે. તમે ગળામાં ખારાશ અનુભવતા હોવ હોય તો મીઠાના ગાંગણા મોંમાં રાખશો તો પણ ફાયદો થશે. આ ઉપરાંત ગરમ પાણીમાં મીઠું નાખીને હાથ પગ બોળી રાખવાથી દુખોવો ઓછો થાય છે.

ઓછા બ્લડ પ્રેશરમાં એક ગ્લાસ પાણીમાં ડોઢ ચમચી મીઠું નાખીને પીવડાવવાથી ફાયદો થાય છે. મીઠું સોડિયમ હોવાથી બ્લ્ડ પ્રેશર વધે છે. આ સાથે દાંતમાં દુખાવો થતો હોય તો તેમાં પણ મીઠાનું પાણી સારો લાભ આપે છે. દુઃખતા દાંત અને ફુલેલા પેઢાની તકલીફમાં દિવસમાં 3-4 વખત મીઠાવાળા પાણીના કોગળા કરવાથી ફાયદો થાય છે.

આ મિશ્રણથી ચહેરો ધોવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત ચહેરાના ડાધ ધબ્બાની સમસ્યા પણ ઓછી થાય છે. આ સાથે તડકાથી ત્વચાનો રંગ કાળો પડી ગયો હોય તો કાચા દૂધમાં થોડું મીઠું ભેળવી ચહેરા પર લગાડવું. થોડી વાર રહી ચહેરો ધોઇ નાખવો. ચહેરા પરનો મેલ દૂર થઈ ચહેરો નિખરે છે

કબજિયાતની સમસ્યામાં રાતે સૂતી વખતે નવશેકું મીઠાવાળું પાણી પીને સૂઈ જવાથી સવારે શૌચ સાફ આવે છે. ઉપરાંત કૃમિની તકલીફ હોય તો દરરોજ સવારે ઉઠ્યા પછી તરત અને રાતે સૂતી વખતે આદુ અને લીંબુના રસમાં મીઠું નાખીને તે થોડા દિવસો સુધી પીવાથી આરામ મળે છે.