અલ્હાબાદ-
અલ્હાબાદ હાઇકોર્ટે એક કેસની સુનવણી કરતાં જણાવ્યું હતું કે ગાયને ફક્ત ધાર્મિક નજરથી જ ન જોવી જોઇએ. સંસ્કૃતિની રક્ષા દરેક નાગરિકે કરવી જોઇએ. કોર્ટે ટિપ્પણી કરી છે કે ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવો જોઇએ અને તે અંગે સંસદમાં બિલ લાવવું જોઇએ. અલ્હાબાદ કોર્ટે જણાવ્યું હતું કે ગાયની પૂજા થશે ત્યારે જ દેશ સમૃદ્ધ થશે. જાવેદ નામના વ્યક્તિની અરજી પર સુનવણી કરતાં હાઇકોર્ટે આ ગંભીર ટિપ્પ્ણી કરી હતી. જાવેદ પર ગૌ હત્યા અટકાવવાના અધિનિયમ 3,5 અને 8 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે અરજદારની અરજી રદ્દ કરીને જણાવ્યું હતું કે ગૌરક્ષા કોઇ એક ધર્મની જવાબદારી નથી. ગૌ સંવર્ધન અધિનિયમના એક કેસની સુનવણી કરતાં અલ્હાબાદ હાઇકોર્ટે એક ગંભીર ટિપ્પણી કરી છે. હાઇકોર્ટે આરોપીની યાચિકાને ખારીજ કરતાં જણાવ્યું હતું કે ગાયનું સંરક્ષણ કરવાની જવાબદારી બધાની છે. તેનું સાંસ્કૃતિ મહત્વ છે અને તેની પૂજા કરવી જોઇએ. કોર્ટે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની વાત પણ કરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments