દિલ્હી-

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે કહ્યું કે દેશમાં કેટલીક તાકતો લોકોને લડાવીને નફરતનું ઝેર ફેલાવી રહી છે. તેમણે  કહ્યું કે આ સમયે દેશમાં અભિવ્યક્તિનો અધિકાર જાેખમમાં છે અને તે શક્તિઓ દેશના ઘણા વર્ગને મૌન રાખવા માંગે છે. યુપીએના અધ્યક્ષ સોનિયાએ કહ્યું હતું કે ગાંધી, નહેરુ અથવા આંબેડકર જેવા આપણા પૂર્વજાેએ કદી કલ્પના પણ નહોતી કરી કે આઝાદીના ૭૫ વર્ષ પૂરા થયા પછી દેશમાં એવી પરિસ્થિતિ હશે કે બંધારણ અને લોકશાહી જાેખમમાં મુકાશે.

સોનિયાએ કહ્યું, "કેટલીક તાકતો જે ઈચ્છે છે કે લોકો એકબીજા સાથે ઝગડતા રહે, દેશમાં નફરતનું ઝેર ફેલાવી રહી છે." દેશમાં અભિવ્યક્તિનો અધિકાર જાેખમમાં છે, લોકશાહીનો નાશ થઈ રહ્યો છે. તેઓ ઇચ્છે છે કે દલિતો, આદિવાસીઓ, મહિલાઓ અને યુવાનો મોં બંધ રાખે. તેઓ દેશને ચૂપ રાખવા માગે છે. આપણા પૂર્વજાેમાંથી કોઈ પણ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અથવા ભીમરાવ આંબેડકર હોય, તેઓ કલ્પના પણ નહીં કરી હોય કે આઝાદીના 75 વર્ષ પછી દેશ આવી સ્થિતિમાં હશે જ્યારે આપણું બંધારણ અને લોકશાહી જાેખમમાં પડી જશે. '

આપને જણાવી દઈએ કે આ સમયે કોંગ્રેસ પણ ખરાબ રીતે સંઘર્ષ કરી રહી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે ફરી એકવાર કહ્ય્šં છે કે, પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓની નારાજગી હોવા છતાં, કોંગ્રેસ કાર્યકારી સમિતિ સહિત સંગઠનના મુખ્ય હોદ્દા માટે ચૂંટણીઓ યોજાવી જાેઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે જેઓ ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે તેઓ તેમના પદ પર જવાથી ડરતા હોય છે. આઝાદે કહ્યું હતું કે, જાે સંગઠનમાં ચૂંટણીઓ યોજાતી નથી, તો કોંગ્રેસ આગામી 50 વર્ષો સુધી વિપક્ષમાં બેસશે.