અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ 990 થી વધુ કેસ નોંધાયા છે. જેની સામે 1055 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 07 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3747 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 990 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,77,598 થયો છે. તેની સામે 1,61,525 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.

રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,77,598 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 12,398 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,77,598 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 12,326 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 67 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 12,259 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,61,525 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3747 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.