ભારતમાં કોરોનાથી 26.47 લાખથી વધુ લોકો સંક્રમિત, 19.19 લાખથી વધુ લોકો સાજા થયા
17, ઓગ્સ્ટ 2020

દિલ્હી-

સમગ્ર ભારતમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 46,47,663 થઇ ગઇ છે. જેમાંથી 50,921 કેસ એક્ટિવ છે. 19,19,842 કોરોના સંક્રમિત લોકો સારવાર બાદ સાજા થયા છે, જો કે 50,921 લોકોના મોત થઇ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ,લોકોના સાજા થવાનો રેટ 60 ટકા સુધી પહોંચી ગયો છે અને તે સતત વધી રહ્યો છે.

ભારતમાં કોરોના વાઇરસ સંક્રમણથી 50,921 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર આંકડા મુજબ ભારમાં 35 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી કોરોના વાઇરસના સંક્રમણના મામલા સામે આવ્યાં છે.

ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થ્ય અને કલ્યાણ મંત્રાલય દ્વારા 3 જુલાઇના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આંકડા મુજબ, દેશભરમાં 26.47 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. સરકાર મુજબ કોરોના સંક્રમણ લોકોમાંથી 19.19 લાખથી વધુ લોકો સાજા થયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution