વડગામ : પાલનપુરમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા એન. ટી. ઈ. પી. પ્રોગ્રામ અંતર્ગત ડીસ્ટ્રીક્ટ ટી. બી. ફોરમ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં એન. ટી. ઈ. પી. ના તમામ ઈન્ડીકેટર્સમાં વધારે સારી રીતે કામગીરી કઈ રીતે કરી શકાય તે અંગે કલેકટરે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેકટર આનંદ પટેલે જિલ્લામાંથી ટી.બી.ને નાબૂદ કરવા માટે પબ્લિક અને ખાનગી હેલ્થ સેક્ટરને પરસ્પર સંકલન અને સહયોગથી કામગીરી કરવાની હિમાયત કરી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ફેન્સીએ કહ્યું કે, પ્રચાર- પ્રસારના માધ્યમથી રોગ અને તેની ઉપલબ્ધ સારવારની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચાડીએ.જિલ્લા ક્ષય અધિકારી ડૉ. સી. એ. અખાણીએ રોગ અંગેની આંકડાકીય જાણકારી આપી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments