સુખસર, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર મેઇન બજાર ખાતે રહેતા સાધુ દિલીપભાઈ શાંતિલાલભાઈ નાઓ એસ.ટી ખાતામાં ખંભાત ડેપોમાં નોકરી કરતા હતા.જેઓ થોડા સમયથી બીમારીના બિછાનેપડેલા હતા.જેઓને ઝાલોદ બાદ વધુ સારવાર માટે ગોધરા લઈ જતા સમયે રસ્તામાં જ તેઓનું મોત નીપજ્યું હતું. જેઓનેપરત ઘરે લઈ આવવામાં આવ્યા હતા.દિલીપભાઈને સંતાનમાં ચારપુત્રીઓ છે.અને આ તમામપુત્રીઓનાં લગ્નપણ થઈ ગયેલા છે. જાેકે એકપુત્રી કેનેડામાંપણ રહેછે. જ્યારે અન્ય દીકરીઓ ગુજરાતમાં હોય સુખસર આવેલ હતી.ત્યારે દીકરીએ પિતાને કાંધ આપી સ્મશાનેપહોંચાડ્યા હતા.અને મુખાગ્નિપણ દીકરીએ આપી હતી.આમ દીકરાની ખોટ દીકરી એપૂરી કરી હોવાનું જાણવા મળે છે.