દિલ્હી-

દેશમાં કોરોનાના નવા કેસમાં થોડો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 3,48,421 નવા કેસો નોંધાયા છે, જ્યારે 4205 લોકો આ રોગને કારણે મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3,55,338 દર્દીઓ સ્વસ્થ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોના કુલ 2,33,40,938 કેસ નોંધાયા છે. તે જ સમયે, કુલ 2,54,197 લોકો આ રોગને કારણે મૃત્યુ પામ્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા 37,04,099 છે. તે જ સમયે, એક રાહત સમાચાર છે કે કોરોનાથી અત્યાર સુધીમાં 1,93,82,642 દર્દીઓ સ્વસ્થ થયા છે.

કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે, જે રાહત ના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં દેશનો પુન:સ્વસ્થ થવાનો દર, 83.04 ટકા પર પહોંચી ગયો છે. આઇસીએમઆર અનુસાર છેલ્લા 24 કલાકમાં 19 લાખથી, વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. 11 મેના રોજ 19,83,804 પરીક્ષણો કરાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 30,75,83,991 પરીક્ષણો કરવામાં આવ્યા છે.