વલસાડ

વલસાડ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી બાકી વેરો ન ભરનારા મિલકતદારો સામે પાલિકા એક્શન મોડમાં આવી છે. ગુરૂવારે પાલિકાની ટીમે બાકી વેરાની વસૂલાત હાથ ધરીને વેરો નહી ભરનારા ૫ મિલકતદારોના નળ કનેક્શન કાપ્યા છે અને ૩ને જપ્તીની નોટિસ પાઠવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડ નગરપાલિકાએ વેરો ન ભરનારાઓ સામે લાલ આંખ કરી છે. જે મિલકતદારોના વેરા બાકી હોય, તેમની પાસેથી વસૂલાત માટે પાલિકાએ અભિયાન હાથ ધર્યું હતુ. આ અભિયાન અંતર્ગત ગુરૂવારે વેરો નહીં ભરનારા ૫ મિકલતદારોના નળ કનેક્શન કાપી નાંખ્યા હતા અને ૩ને જપ્તીની નોટિલ પાઠવવામાં આવી હતી. જેના પગલે વેરો નહીં ભરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.વલસાડ નગરપાલિકાએ વેરો ન ભરનાર ૫ મિલકતદારોના નળ કનેક્શન કાપ્યાએક જ દિવસમાં ૪.૪૫.લાખ વેરો વસૂલાયો ગુરુવારે હાથ ધરાયેલા અભિયાનમાં કુલ રૂપિયા ૪.૪૫ લાખના વેરાની વસૂલાત કરવામાં આવી હતી. આ સાથે વેરો નહીં ભરનારાઓના નળ કનેક્શન કાપવાની પણ શરૂઆત કરવામાં આવી હતી. આ વસૂલાત અભિયાનમાં તેમણે જેનો મોટી રકમનો વેરો બાકી હોય અને વખતો વખતની સૂચના બાદ પણ વેરો ન ભરતા હોય એવા ૩ મિલકતદારોને જપ્તીની નોટિસ પણ આપી છે. જેને લઇને બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.