મહુવા માર્કેટીંગ યાર્ડમા એક દિવસમાં ૪ લાખ ઉપરાંત ડુંગળીના થેલાની આવક
07, એપ્રીલ 2022

ભાવનગર, મહુવા માર્કેટીંગ યાર્ડમાં માર્ચ એન્ડીંગની ૮ દિવસની રજાઓ બાદ આજે એક દિવસમાં અધધ ૪ લાખ ઉપરાંત ડુંગળીના થેલાની આવક થવા પામેલ છે.એક સપ્તાહ બાદ મહુવા યાર્ડમાં કામકાજ શરૂ થતા ડુંગળીની આવકથી યાર્ડ છલોછલ થયું છે જાે કે સતત મજુરી,ખાતર,દવા સહિતમાં વધારો થવા છતા ખેડૂતોને પડતર ભાવ પણ મળતો નહીં હોવાથી એસંતોષ જાેવા મળી રહયો છે.આજે મહુવા માર્કેટીંગ યાર્ડમાં લાલ ડુંગળી(બદલો)ની ૮,૭૪૮ થેલી, લાલ ડુંગળીના ૫૫,૦૪૪ થેલા, સફેદ ડુંગળી(બદલો)ની ૩૦,૯૭૧ થેલી અને સફેદ ડુંગળીના ૩,૨૮,૮૧૩ થેલા મળી કુલ ૪,૨૩,૫૭૬ થેલાની રેકોર્ડબ્રેક આવક થવા પામેલ. સફેદ કાંદાની ૮૭,૨૪૬ થેલીનું વેચાણ થયેલ અને લાલ ડુંગળીની ૯,૯૧૯ થેલી અને સફેદ ડુંગળીની ૨,૪૧,૫૬૭ થેલા બેલેન્સમાં રહેલ. જયારે લાલ ડુંગળીના ભાવ રૂ.૬૫ થી રૂ.૨૧૮ અને સફેદ ડુંગળીના ભાવ રૂ.૧૪૦ થી રૂ.૨૩૬ રહેવા પામેલ. ચાલુ સાલે કાંદાનું વાવેતર ગત સાલ કરતા વધારે છે, હાલ સફેદ ડુંગળીની ભરપુર લણણી ચાલી રહી છે.જાે કે વિઘા દીઠ ઉતારો ઓછો છે. ઉતારો ૨૦૦ થી ૨૨૫ મણનો રહેવા પામેલ છે. જયારે ગત વર્ષે ૩૦૦ મણનો હતો. સાથે સાથે ખેડુતોને મજુરી, ખાતર, બીયારણ દવાના ખર્ચામાં વધારો થતો હોવાથી પડતર મળતી નથી આથી ખેડુતોમાં અસંતોષ ઉભો થયો છે. ખેડુતોને રૂ. ૨૦૦ થી રૂ.૨૫૦નો સરેરાશ ભાવ મળે તો જ પડતર મળે તેમ હોવાનુ ખેડુતો જણાવી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution