શ્રીનગર-

જમ્મૂ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરુ થઈ છે. મળતી માહિતી મુજબ હજુ પણ અથડામણ ચાલું જ છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2018માં 257 આતંકીઓ માર્યા ગયા હતા. જેમાંથી 142 સ્થાનીક અને 115 વિદેશી હતા. જ્યારે 2019માં માર્યા ગયેલા આતંકીઓમાંથી 120 સ્થાનિક અને આ વર્ષ અત્યારસુધીમાં કાશ્મીરમાં 24 આતંકી માર્યા ગયા છે. જેમાંથી 21 સ્થાનિક છે. જમ્મૂ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરુ થઈ છે. આ અથડામણ સિધાનપોર વિસ્તારમાં શરુ છે.