જમ્મુ-કાશ્મીરઃ ભારતીય સેનાએ 2 પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા
29, જુલાઈ 2020

શ્રીનગર-

ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારે રાત્રે ઘુસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ કર્યો છે. જેમાં બે પાકિસ્તાની આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે અને અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય સેનાના નૌશેરા સેક્ટરમાં જ્યારે અમુક આતંકવાદીઓની ગતિવધિ જોવા મળી હતી, ત્યારે તેમણે તેના પર ગોળીબાર કર્યો હતો.તેમણે જણાવ્યું કે, થોડીવાર બંને વચ્ચે ગોળીબાર થયો હતો. જે બાદ એક વિસ્ફોટ થયો અને કદાચ એક ઘુસણખોરનો પગ દારૂગોળાની સુરંગ પર પડ્યો હતો.અધિકારીએ જણાવ્યું કે, ગોળીબાર અને વિસ્ફોટમાં બે આતંકીઓ માર્યા ગયા છે અને એક ઇજાગ્રસ્ત છે.વધુમાં જણાવીએ તો માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહનો હજૂ કબ્જો કરવામાં આવ્યો નથી. એવી આશંકા છે કે, તેમના સાથી ઘટનાસ્થળેથી મૃતદેહને સાથે લઇ ગયા છે.એક સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ નિયંત્રણ રેખાના સમગ્ર વિસ્તારનો ઘેરાવો કરવામાં આવ્યો છે અને તપાસ અભિયાન શરૂ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution