જામનગર-

ગુજરાતના જામનગરના અને રાજકોટમાં ભારે વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ આજે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે અને જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા જામનગરના મેયર બીનાબેન કોઠારી,ડે.મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા અને શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા જેવા મહાનુભાવો અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત સમયે હાજર રહ્યા હતા. તમામ એ સ્થળ પર જઈ તારાજીનો તાગ મેળવ્યો હતો.