ઝારખંડઃ મહિલાએ તેમના 3 સંતાનો સાથે રેલવે પાટા પર મોતની છલાંગ લગાવી
12, ઓગ્સ્ટ 2020

પલામૂ-

ઝારખંડ રાજ્યના પલામૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા તેમના 3 સંતાનોને લઇને રેલવે પાટા પર છલાંગ લગાવી હતી. તેજ સમયે માલગાડી આવી રહી હતી. માલગાડીની ઝપેટમાં આવતા મહિલા અને તેમની એક પુત્રીનુ ઘટના સ્થળે જ મોત થયું હતું અને તેમના બે પુત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે બન્નેને ગ્રામજનોએ ગઢવા સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, ત્યાં બન્નેની હાલત ગંભીર છે.

આ ઘટનાની જાણકારી થતા જ રેહાલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા માલુમ પડ્યુ કે, સબૈના ગામની પ્રિયકા દેવીને તેમના પરિવાર સાથે ઝઘડો થયો હતો અને તેમના સંતાનોમાં 8 વર્ષીય બેટી, 6 વર્ષીય પુત્ર અને એક 3 વર્ષનો પુત્રને લઇને તે રેલવે ફાટક પર પહોચી અને માલગાડી આવતા તેમની પુત્રી અને પ્રિયકા દેવીનુ મૃત્યુ થયુ અને તેમના બન્ને પુત્રને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution