કર્ણાટક: ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ પલટી જતા 2 ના મોત, પાંચ ગંભીર રીતે ઘાયલ
06, ડિસેમ્બર 2020

બેંગલુરુ-

રાજધાનીથી લગભગ 150 કિમી દૂર હિરીયુર શહેરના ચલકરે રોડ પર કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમ (કેએસઆરટીસી) દ્વારા પલટી ખાઈ જતા બે મુસાફરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય પાંચ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોની ઓળખ થઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સવારે સાડા ચાર વાગ્યે થયો હતો. બસ યાદગિર જિલ્લાના શાહપુરાથી બેંગલુરુ તરફ આવી રહી હતી. બસમાં આશરે 50 મુસાફરો હતા. તમામ ઇજાગ્રસ્તોને હિરીયુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ બસ ચાલક અને કંડકટર નાસી છૂટયા હતા. હિરીયુર શહેર પોલીસે ગુનો નોંધ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution