કોલકાતા હાઈકોર્ટે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીને આટલા રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો સમગ્ર મામલો
28, સપ્ટેમ્બર 2021

કોલકાતા-

કલકત્તા હાઈકોર્ટે બીસીસીઆઈના પ્રમુખ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સૌરવ ગાંગુલીની સાથે સાથે બંગાળ સરકાર અને તેના હાઉસિંગ કોર્પોરેશન હિડકો પર 50,000 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. મામલો જમીનની ખોટી ફાળવણીનો છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલ અને હાઈકોર્ટના જસ્ટિસ અરિજિત બેનર્જીની ખંડપીઠે સોમવારે પીઆઈએલ પર સુનાવણી કરી અને કહ્યું કે જમીનની ફાળવણીની બાબતોમાં ચોક્કસ નીતિ હોવી જોઈએ. જેથી સરકાર આવી બાબતોમાં દખલ ન કરી શકે.

જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીને ક્રિકેટ એકેડમી ખોલવા માટે હાઉસિંગ કોર્પોરેશન ઓફ બંગાળ ગવર્નમેન્ટ હુડકો દ્વારા સોલ્ટ લેકના CA બ્લોકમાં જમીન આપવામાં આવી હતી. જો કે, આ અંગેના વિવાદ બાદ સૌરવ ગાંગુલીએ જમીન પણ પરત કરી દીધી હતી. પરંતુ આ દરમિયાન તે જમીન સાથે કાયદાકીય ગૂંચવણો ઊભી થઈ. જમીન માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જમીન સૌરવ ગાંગુલીને ટેન્ડર વગર આપવામાં આવી હતી. 'સોલ્ટલેક હ્યુમેનિટી' નામની સ્વૈચ્છિક સંસ્થાએ રાજ્ય સરકાર સામે કેસ દાખલ કર્યો હતો. તે કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે આ દંડ કર્યો હતો.

2.5 એકર જમીનની ફાળવણીનો કેસ

હકીકતમાં, વર્ષ 2011 માં, સૌરવ ગાંગુલીની શૈક્ષણિક સંસ્થાને બંગાળ સરકારે કોલકાતાના ન્યૂ ટાઉન વિસ્તારમાં નિયમો વિરુદ્ધ જમીન આપી હતી. PIL એ BCCI પ્રમુખ અને ગાંગુલી એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીને શાળા માટે ફાળવેલી 2.5 એકર જમીન પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. બેન્ચે કહ્યું કે દેશ હંમેશા ખેલાડીઓ માટે ઊભો રહે છે. ખાસ કરીને જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. એ વાત સાચી છે કે સૌરવ ગાંગુલીએ ક્રિકેટમાં દેશનું નામ રોશન કર્યું છે, પરંતુ જ્યારે કાયદા અને નિયમોની વાત આવે છે ત્યારે બંધારણમાં બધું સમાન છે. કોઈ તેના ઉપર હોવાનો દાવો કરી શકે નહીં. વર્ષ 2016 માં આ જમીનની ફાળવણીને પડકારતી એક PIL દાખલ કરવામાં આવી હતી.

કેસ દાખલ થયા બાદ સૌરવે જમીન પરત કરી હતી

આ મામલો સૌપ્રથમ કોલકાતા હાઇકોર્ટમાં આવ્યો હતો. ત્યારબાદ સૌરવ ગાંગુલીએ કાનૂની મુશ્કેલી ટાળવા માટે જમીન પરત કરવાનો નિર્ણય કર્યો હતો અને તેને પણ પરત કરી દીધો હતો. ત્યારબાદ બીજા જામીન આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી. તેની સામે ફરી એક વખત હાઇકોર્ટમાં કેસ નોંધાયો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે આ કિસ્સામાં પણ સૌરવને ટેન્ડર વગર અને ઓછા ખર્ચે જમીન આપવામાં આવી હતી. આ કાનૂની મુશ્કેલી બાદ સૌરવે જમીન પરત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution