કોરોનાના મૃતકોના ઝડપથી અગ્નિ સંસ્કાર થઇ શકે એને માટે વધારાની ચિતાઓ તાકીદે બનાવવાને માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એને માટે હવે શહેરના વિવિધ સ્મશાનમાં ડેડબોડીને મુકવાને માટેની ચિતાઓના લોખંડના વજનદાર બ્લોકોનો ખડકલો કરી દેવામાં આવ્યો છે.તેમજ રાત દિવસ કામગીરી ચાલુ રાખીને તત્કાળ વધારાની ચિતાઓને ઉભી કરી દેવાશે.એક તરફ માત્ર એક-બે મોત દર્શાવતું તંત્ર આ આયોજન થાકી આડકતરી રીતે મોતની ભયાવહ સ્થિતિનો સ્વીકાર કરી રહ્યું છે.